નવી દિલ્હી: આમ તો  કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે પરંતુ દેશમાં કેટલાક રાજ્યોમાં હજુ સ્થિતિ ચિંતાજનક સ્તરે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 36,604 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 94,99,414 પર પહોંચ્યો છે. જેમાંથી 4,28,644 લોકો હજુ સારવાર હેઠળ છે જ્યારે 89,32,647 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 501 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 1,38,122 થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ નહીં, દિલ્હી બોર્ડર પર ખેડૂતો અડીખમ 


આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્ર, ત્યારબાદ રાજસથાન અને ત્રીજા નંબરે મધ્ય પ્રદેશમાં છે. જ્યારે મોતના મામલે દિલ્હી પહેલા નંબરે છે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 90,557 છે. જ્યારે રાજસ્થાનમાં 28,653 અને મધ્ય પ્રદેશમાં 14,771 છે. 


સની દેઓલ પણ કોરોનો પોઝિટિવ, હિમાચલમાં ચાલી રહી છે સારવાર


રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.06 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1059.26 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78,94,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


કોરોના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના ટેસ્ટિંગ અંગે મોટી મંગળવારે મોટી જાહેરાત કરી. ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે RTPCR ટેસ્ટના ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગના 800 રૂપિયા થશે અને જો ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા થશે. આ નિર્ણયનો અમલ આજથી થશે. આ અગાઉ રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા જેટલો થતો હતો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube